Friday, August 28, 2009

આયુર્વેદ ને એક ચિકિત્સા પદ્ધતિ કહેવી તેતો આખા આયુર્વેદ અને સંસ્કૃત ભાષા ના અજ્ઞાન જેવી વાત થાય . આયુ એટલે આયુષ્ય - કહ્યું છે તેવું નથી .તેમાં તો સમગ્ર જીવન -કે જેના ચાર પાયા ધર્મ, અર્થ ,કામ ,અને મોક્ષ આવી જાય છે .તે બધું જ કહેલું છે. જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ ત્યાર પહેલા જ જીવ માત્ર સુખી-આનંદી કેમ રહે તેના વિચારો કહેલાં છે .જીવન,- તેના ઉદ્ભવ થી અંત સુધી નું જ્ઞાન-સમજ.તેમાં કઈ શરીર -મન ને થતી પીડા અને તેના ઉપાય માત્ર નથી . આ શરીર પંચ ભૂતો થી નિર્માણ થયેલું છે ,તેમજ આ સંસાર પણ પંચ ભૂતો થી બનેલો છે .તો શરીર અને સંસાર બંને વચ્ચે સમતોલન રહે તેવી વૈજ્ઞાનિક યોજના જ આપણને સાચા અર્થ માં સ્વસ્થ જીવન આપી શકે .તો ચાલો આપણે તેના વિષે જાણીએ -વિચારીએ .આ શરીર ,આ સાંસાર- -ભ્રહ્માંડ થી જુદું નથી તો ,કોઈ પણ વૈજ્ઞાનિક પધ્ધતિ કે વિચારો ખરેખર તો એક બીજા થી વિરુદ્ધ હોઈ જ ના શકે .આખ્ખો આયુર્વેદ અનુકુલન અને સંતુલન ના જ સિદ્ધાંતો ને અનુસરે છે .તો આયુર્વેદ માં વર્ણવેલ જીવન શૈલી જ ઉત્તમ અને અનુસરણીય છે.